વૃશ્ચિક-ચરિત્રની વિશેષતા
વૃશ્ચિક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પોતાનો સ્‍વાર્થી સાધવા ચાલાકીથી અન્‍ય પાસેથી કામ કાઢવું, પ્રભાવશાળી, સ્‍વછંદી, સામર્થ્યવાદી, સ્‍વયં પર આસક્ત, કામુક, પ્રતિશોધી, ઇર્ષાળુ, અભિલાષી, યુયુત્‍સ, સંશયી, આંતરિક રીતે ભયભીત, મનથી નિર્દય, અસષ્‍િણુ, શોષણકારી, સ્‍વયંના સ્‍વાર્થ માટે શક્તિનો પ્રયોગ કરનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - અદ્રશ્ય ચેતનાની અનુભૂતિ, અંતરાત્‍માના અસ્તિત્‍વથી અજાણ, અજ્ઞાન દ્રારા ઉત્‍પન્‍ન થયેલ વિશ્વાસ રાખવો, નિસ્‍વાર્થ ઉદ્દેશમાટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવો. ભૌતિક અને ભાવનાત્‍મક વિષયો પર માનસિક નિયંત્રણ કરવાનું સીખવું, દાનવીર બનવું, ઇશ્વર પ્રત્‍યે પોતાની ઇચ્‍છાને સમર્પિત કરવી, મનોવૈજ્ઞાનિક શક્તિઓ ને ઓળખી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જાણકારી મેળવવી, સર્વાધિક ભલાઇ માટે જ્ઞાનની આપ-લે કરવી. અંતઃ કરણના લક્ષણ - ચમત્‍કારીક અંતર્દ્વંદ્વોને રમણીયતામાં ફેરવવી. અંતરાત્‍માથી અનુકૂળ થવું, ઉચ્ચઆત્‍માની ચેતના હોવી, સંઘર્ષને વિકાસનાં રૂપમાં જોવી, ભૌતિક અને ભાવનાત્‍મક સ્‍વભાવ ઉપર માનસિક નિયંત્રણ, ઇશ્વરીય જ્ઞાનનાં પ્રચારમાં સહાયતા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો, બીજા ઉપર હકારાત્‍મક પ્રભાવ પાડવો, અન્‍ય સાથે જ્ઞાનની ઊર્જાની આપ-લે કરવી, સર્વની ભલાઇ માટે સાત્‍વીક ઊર્જાના પ્રચારક બનવું.

રાશી ફલાદેશ