તુલા-લગ્‍ન અને દાંપત્ય જીવન
તુલા રાશીની સ્‍ત્રીને પતિ અને પુરૂષને પત્‍ની ભાગ્યશાળી મળે છે. સ્‍ત્રીના ચિંધ્યા માર્ગે ચાલવાથી તેમનું જીવન ધન્‍ય થાય છે. સ્‍વપ્ન વધારે આવે છે. એક સંતાન ભાગ્યશાળી હોય છે. તેમના સ્‍વભાવ અને વિચારોને સમજી શકે તેવા જીવનસાથીની તેમને જરૂરત હોય છે. તેઓ પોતાના જીવનસાથીને સુધારવાનો પ્રયત્‍ન કરે છે. તુલા રાશીને એક કરતા વધારે લગ્‍ન અને વિયોગની શક્યતા રહે છે. મિથુન અને કુંભ સાથે વધારે અને સિંહ સાથે ઓછું બને છે. સામાજીક બંધનોના કારણે પ્રેમમાં અસફળતા રહે છે. તેમનો સ્‍વામી શુક્ર છે. તેઓ સહયોગ, પ્રેમ, વિવાહ, ભાગીદારી, તથા જીવનનાં દરેક ક્ષેત્રમાં સમાન ‍દ્રષ્‍િટકોણ રાખવા પ્રયાસ કરે છે. તેમના સાથી ઓછા હોય છે.

રાશી ફલાદેશ