તુલા-આજીવિકા અને ભાગ્ય
તુલા રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ કૂટનીતિજ્ઞ, વકીલ, સંગીતજ્ઞ, તંત્રી, સુગંધી પદાર્થના નિર્માણકર્તા, અભિનેતાનાં રૂપમાં સફળતા મેળવી શકે છે. તેઓ ન્‍યાયાધીશ, રાજકારણી, પ્રાધ્યાપક, કલાકાર અને વ્યાપારી હોય છે. તુલા રાશીની વ્‍યક્તિ સાહિત્‍ય, સંગીત, નૃત્‍ય, દરજીકામ, રમકડાં બનાવનાર, ચિત્રકાર વગેરેમાં કુશળ હોય છે. તેઓ ઉચ્ચ કક્ષાના વકીલ અને ડોક્ટર પણ હોય છે. તેમનો ભાગ્યોદય તેમના જીવનનાં મધ્યકાળમાં થાય છે. તુલા રાશીની વ્‍યક્તિ પોતાના જીવનનાં પ થી ૨૦ વર્ષ સુધી તેઓ રમતગમતમાં વિતાવે છે. ૨૧ થી ૩૦ વર્ષ સુધી તેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્‍યાર બાદ જીવનનો અંતિમ તબક્કો સારો રહે છે.

રાશી ફલાદેશ