વૃષભ- ઘર - પરિવાર
વૃષભ રાશીના લોકો સારા માતા પિતા હોય છે. બાળકો પ્રત્‍યે તેમને પ્રેમ અને સમજદારીની ભાવના હોય છે. તેમને પુત્રી કે બાળકો દ્વારા સુખ મળે છે. તેઓ વસ્‍તુસ્‍િથનિને સારા શબ્‍દોમાં રજુ નથી કરી શકતા. તેમને આરામ વધારે પસંદ છે. તેઓ મિત્રો અને પરિવાર પ્રત્‍યે હંમેશા ઇમાનદાર રહે છે. ઘરની ચિંતામાં ફસાઇને તેનો વિચાર કરવો તેમના માટે દુખ દાયક રહે છે. પરિવારની જવાબદારીથી તેઓ ગભરાઇ જાય છે અને તેનાથી દૂર રહે છે. પરિવારના પ્રમુખ તરીકે તે અસફળ રહે છે. તેમને પોતાના સંતાનનો ભાર ઉપાડવો ગમતો નથી. ઘરના કાર્યોથી પોતાને દૂર રાખે છે. વૃષભ રાશીની વ્‍યક્તિ પોતાનામાં કેન્‍દ્રીત હોવાથી પોતાના પ્રિયજનોને દુઃખી કરે છે. તેમનો દરેક સમયે સંપર્ક કરવો મુશ્કેલ છે. એકાંતવાસી અને અચાનક ગંભીર થઇ જવું આ રાશીની વિશેષતા છે. આ સ્‍િથતિમાંથી દૂર થાય ત્‍યારે તેઓ પોતે સંતોષી, સુખી અને શક્તિશાળી હોવાનો અનુભવ કરે છે.

રાશી ફલાદેશ