વૃષભ-ચરિત્રની વિશેષતા
વૃષભ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - દુરાગ્રહી, લાલચી, ઇંદ્રિયાર્થવાદી, મોટી બુદ્ધિના, ભૈતિક ઇચ્‍છાઓ દ્વારા નિયંત્રીત, અડીયેલ, સ્‍િથર ચિત્ વાળો. ચરિત્ર વિકાસના લક્ષણો - દ્રઢ નિશ્ચયી, દુરાગ્રહી, અડગ, બૌદ્ધિક મૂલ્‍યોનો વિકાસ, ભૌતિકવાદ તથા ભૌતિક ચમક દમકથી અલગ રહેવું, ભાવનાત્‍મક ઇચ્છાઓને નિયંત્રીત કરવી, અંતઃ કરણના લક્ષણ - ઇચ્‍છા તથા આકાંક્ષાઓને આધ્યાત્મિક ઇચ્‍છાઓમાં બદલાવવી. વિશ્વને જ્ઞાનના પ્રકાશ તરફ પ્રેરીત કરવા સહાય કરવી, લોકો વચ્ચે હોવા છતાં અલગ રહેવું, દૈવી કામ માં પોતાના સંસાધનોનો ઉપયોગ, ઇશ્‍વરના સંસાધનો ના પ્રબંધ કરનાર, સ્‍વામિત્‍વ, ભૌતિક વસ્‍તુનો યોગ્ય ઉપયોગ. આધ્‍યાત્મિક દ્વારા ભૌતિક બંધન તોડવા.

રાશી ફલાદેશ