વૃષભ-આર્થિક પક્ષ
આ રાશીનો માણસ ખરેખર કર્મભૂમિમાં ઉતરીને પોતાની કમાણીમાંથી ધન અને જમીનનો સ્‍વામી બને છે. તેમની પાસે રૂપીયાની બચત નથી થતી. જેટલી આવક થાય તેટલી જાવક થાય છે. તેઓ ઘન સંબંધી યોજના બનાવવામાં કુશળ, શ્રેષ્‍ઠ મેનેજર, નેતૃત્‍વ શક્તિ સંપન્‍ન, બીજાની ઉપર પોતાનો પ્રભાવ પાડનાર, જવાબદારીને નિભાવનાર, સંઘર્ષ માટે તૈયાર અને પોતાની રક્ષાના પ્રયત્‍ન કરવાવાળા હોય છે. તેઓ પ્રવૃતિમય હોવાથી રૂપીયાનો અભાવ નથી આવવા દેતા. તેઓ આવક-જાવક તરફ સતર્ક રહે છે.

રાશી ફલાદેશ