ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન મોદી સાથે શું વાત કરી?

Webdunia
શુક્રવાર, 9 મે 2025 (13:34 IST)
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન હાલની ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.
 
તેમણે લખ્યું, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ઘરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી તથા આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.”

<

માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.…

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025 >
 
તેમણે વધુમાં લખ્યું કે “વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાંઓની વિગતો પણ મેળવી હતી.”

સંબંધિત સમાચાર

Next Article