Khodaldham- ખોડલધામમાં PMની હાજરીમાં થશે પાટીદાર સંમેલન

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (14:44 IST)
ખોડલધામમાં 21મી જાન્યુઆરીના દિવસે ભવ્ય પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શકયતા છે. લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે સ્થિત ખોડલધામને ૨૧મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. 
 
જો કે આ પાટોત્સવનો આધાર સરકારની કોરોનાની ગાઇડલાઇન પર છે.જો કોરોનાના કેસમાં વધારો થશે તો આ કાર્યક્રમની રૂપરેખા બદલાય શકે છે.આ અંગે ખોડલધામની કોર કમિટી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકે છે.જો આ કાર્યક્રમ યોજાય તો વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.

સંબંધિત સમાચાર

Next Article