શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

બુધવાર, 24 જુલાઈ 2024 (00:37 IST)
Calory Count Per Day: સ્વસ્થ રહેવા માટે એક મહિલા અને પુરૂષ આખો દિવસમાં કેટલી કેલોરી લેવી જોઈએ.  નાસ્તાથી ડિનર સુધી દર રોજ કેટલુ હોવુ જોઈએ કેલોરી ઈનટેક. જાણો સ્વસ્થ રહેવા માટે કેટલી કેલોરેની જરૂર હોય છે.  
 
પ્રતિદિન  કેલરીની માત્રા
જો આપણે સામાન્ય માણસની વાત કરીએ તો, તેને એક દિવસમાં હેલ્ધી ખાવાથી 2500 કેલરીની જરૂર પડે છે. સરેરાશ સ્ત્રીને દરરોજ લગભગ 2000 કેલરીની જરૂર હોય છે. જો કે, આટલી બધી કેલરી સાથે સ્વસ્થ રહેવા માટે, દિવસમાં ઓછામાં ઓછા 45 મિનિટથી 1 કલાક સુધી વર્કઆઉટ કરવું જરૂરી છે.
 
લંચ અને ડિનર કૈલોરી કેલ્કુલેશન 
 
ચોખા - 130         
નાન-311                 
બ્રેડ- 264                 
કઠોળ - 101                  
શાકભાજી - 35                     
દહીં - 100
    
બ્રેકફાસ્ટ કેલરી ગણતરી 
1 ગ્લાસ દૂધ - 204           
2 રોટલી/બ્રેડ- 280             
1 ચમચી માખણ - 72                
લીલા શાકભાજી - 35              
સુકા ફળો- 63
       
વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય
માત્ર ગરમ પાણી પીવો 
સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવો
દૂધીનુ સૂપ-જ્યુસ લો
દૂધીનું શાક ખાઓ
અનાજ અને ચોખા ઓછા કરો
સલાડ ખૂબ ખાઓ
જમ્યાના 1 કલાક પછી પાણી પીવો
 
ત્રિફળાનુ સેવન કરો  
પાચનક્રિયા સુધારવા માટે દરરોજ ત્રિફળા ખાઓ. રાત્રે 1 ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે લો. તેનાથી તમારી પાચનક્રિયા સારી રીતે કામ કરશે. જે ગેસ, એસિડિટી, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને ઓછી કરશે. ત્રિફળા ખાવાથી વજન પણ ઘટે છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર