ભારતની પહેલી રેલ્વે ફેક્ટ્રી... જ્યાં રોબોટ કરશે કામ પ્રધાનમંત્રીએ કર્યુ ઉદ્ઘાટન

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2024 (14:42 IST)
railway factory in jhansi- ઝાંસીમાં રેલ્વે કોચ નવીનીકરણ કારખાના ઉદ્ઘાટન આજે કર્યુ. રેલ્વે કોચ નવીનીકરણ કારખાનાના ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ માધ્યમથી કરાયુ. તેની  સાથે જ પીએમ મોદીએ ઝાંસીના રેલમંડલને ઘણી ભેંટ પણ આપી. ઝાંસીમાં બનેલુ આ રેલ કારખાના પહેલો એવુ કારખાના છે જ્યાં રોબોટ કામ કરશે. રેલ્વેના આ વર્કશૉપના પેંટ સેક્શનમાં રોબોટની મદદથી કામ હોય છે. તેની સાથે જ અહીં વંદે ભારત કોચની સમારકકામ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. 
 
રેલ્વે કોચ નવીનીકરણ કારખાનાના ઉદ્ઘાટન પ્રધાનમંત્રી વર્ચુઅલ માધ્યમથી કર્યુ. કારખાનાના કેંદ્રીય મંત્રી ભાનુ પ્રતાપ વર્મા સાંસદ અનુરાગ શર્મા અને વિધાયક રવિ શર્મા હાજર રહ્યા. સાંસદ અનુરાધ શર્માએ જણાવ્યુ કે આ કોચ ફેક્ટ્રીશરૂ થતા સીધા રીતે હજારો લોકોને નોકરી મળશે. તેની સાથે જ ફેક્ટ્રીની આસપાસ ઘણા પ્રકારના નવા રોજગાર શરૂ થશે. જલ્દી જ અહીં વંદે ભારતના કોચની મરમ્મત માટે અહીં કામ શરૂ કરાશે. 
 
વંદે ભારત માટે મોકલાયા પ્રસ્તાવ 
કારખાનાના મુખ્ય વર્કશૉપ મેનેજર  અતુલ કનોજિયાએ જણાવ્યું કે અહીં એક વર્ષમાં 250 LHV કોચનું સમારકામ કરવામાં આવશે. અહીં પહેલીવાર રોબોટિક પેઇન્ટ ફેક્ટરી બનાવવામાં આવી છે. ભારતમાં પહેલીવાર ઝાંસીમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં એક વ્યવસ્થિત એસેમ્બલી લાઇન છે. સ્ટોરમાં ઓટોમેટિક સિસ્ટમ છે. ફેક્ટરીમાં મોટાભાગનું કામ આઉટસોર્સિંગ પર થશે. તેથી અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને રોજગારી મળશે. વંદે ભારતનો પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article