મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (17:56 IST)
gautam adani
 
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાં મહાકુંભ ચાલુ છે. દેશ વિદેશથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને યાત્રાળુ પ્રયાગરાજ પહોચી રહ્યા છે. આ દરમિયાન આધ્યાત્મ અને આસ્થાની પાવન જોડ પ્રયાગરાજમાં જોવા મળી રહી છે. આવામાં દેશન ટોચના ઉદ્યોગપતિ અને અડાની ગ્રુપના ચેયરમેન ગૌતમ અડાની મહાકુંભના મેળામાં પહોચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈંફોસિસ ગ્રુપના સંસ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પહેલા જ મહાકુંભના મેળામાં પહોચી ચુકી છે. સુધી મૂર્તિ પરેડ મેદાનમાં પર્યટન વિભાગ દ્વારા બનાવેલ મહારાજા ટેંટમાં રોકાઈ છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં અત્યાર સુધી 8 કરોડ 30 લાખથી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરી ચુક્યા છે. 
 
ગૌતમ અડાની કરશે પ્રસાદનુ વિતરણ
 ગૌતમ અદાણી મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે. આ પછી તેઓ પૂજા કરશે અને પછી મોટા હનુમાન મંદિરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં મફત પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા સતત કરી રહ્યું છે, જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણી આજે પ્રયાગરાજ પહોંચવાના છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી આજે ઇસ્કોન પંડાલમાં ચાલી રહેલા ભંડારામાં પોતાની સેવાઓ આપશે. આ સમય દરમિયાન, અદાણી ત્રિવેણીમાં પ્રાર્થના કર્યા પછી બડે હનુમાનજીના દર્શન કરશે. આ ઉપરાંત ગૌતમ અદાણી પણ મહાકુંભ મેળાની મુલાકાત લેવાના છે.

<

अद्भुत, अद्वितीय, एवं अलौकिक!

प्रयागराज आकर ऐसा लगा मानो पूरी दुनिया की आस्था, सेवाभाव और संस्कृतियां यहीं मां गंगा की गोद में आकर समाहित हो गयी हैं।

कुंभ की भव्यता और दिव्यता सजीव बनाए रखने वाले सभी साधु, संत, कल्पवासी एवं श्रद्धालुओं की सेवा में तत्पर शासन-प्रशासन, सफाई… pic.twitter.com/04kFsieimr

— Gautam Adani (@gautam_adani) January 21, 2025 >

સંબંધિત સમાચાર

Next Article