મનમોહનસિંહ અને અડવાણી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, બંને એકબીજાને જવાબ પણ આપી રહ્યા છે. આ મુદ્દાવિહોણા ચૂંટણી જંગમાં ગરમાવો પેદા કરવાનો પ્રયાસ છે. અડવાણી અને મનમોહન વચ્ચે આરોપ પ્રત્યારોપથી ચૂંટણીની દિશા બદલાવાની છે કે ના ...
દેશમાં લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિમામો ઉપર નજર નાંખીએ તો ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અપડાઉનમાં ચાલી રહી છે ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.
મોટા ઉપાડે લોકસભામાં ચૂંટાયા બાદ કેટલાક સાંસદો પગ ઉપર પગ ચડાવી બેસી રહે છે કે પછી પોતાનો વેપલો કરવા લાગી જાય છે. પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મામલે અલગ ...
કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા લોકો વધુ સજાગ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે આ વાતનો સંકેત આપ્યો હતો કે, તે પણ પ્રધાનમંત્રી પદની રેસમાં છે અને ચૂંટણી બાદની ગઠબંધનની સ્થિતિમાં તેમને વામદળોનું સમર્થમ મળવાની આશા છે.
દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલી લાખેરી કાર નેનોનો સહારો ગુજરાત ભાજપે પણ લીધો છે. ભાજપને ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ કર્યો છે. ભાજપી નેતાઓના ફોટાવાળુ નેનો કારનું પેન સ્ટેન્ડ મોડલ બહાર મુકાયું છે.
આ વખતની લોકસભા ચૂંટણી મુશ્કેલરૂપ રહેશે એવો સ્વીકાર કરતાં કોંગ્રેસના વ્યૂહ રચનાકાર જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ 440 બેઠકો પરથી જંગ લડશે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાટાઘાટોને પગલે ગઇકાલે જયલલિતાના અન્નાદ્રમુક અને વૈકોના એમડીએમકે વચ્ચે સમજૂતી થઇ છે. જે અંતર્ગત વૈકાની પાર્ટી ચાર બેઠકો ઉપર ચૂંટણી લડશે.
ભાજપ માટે મહેસાણાની બેઠકનું મહત્વ ઘણું બધું છે. દેશમાં જ્યારે 1984માં ભાજપ માત્ર બે બેઠકો ઉપર વિજયી બન્યું હતું ત્યારે એમાં એક બેઠક મહેસાણાની હતી. સાથોસાથ એ સમયે 72.81 ટકા જંગી મતદાન થયું હતું જે રેકોર્ડ આજે પણ અકબંધ રહ્યો છે.
દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે.
1984માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
લોકસભાની ચુંટણી પહેલાં ચિરંજીવીની પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે પાર્ટીનાં પ્રવક્તા પારાકલા પ્રભાકરે પાર્ટીને ઝેરી વૃક્ષ કહીને તેનાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.
વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું કે તે ક્યારેય સપા છોડશે નહીં.
ભાજપનાં નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં તે વક્તવ્યને હાસ્યાસ્પદ ગણાવ્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ડો.મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહીને દેશનું અપમાન કરી રહ્યાં છે.