ઝોમેટોની ‘શુદ્ધ શાકાહારી ફ્લીટ’ શું છે, ડિલિવરી બૉય્ઝના યુનિફોર્મનો વિવાદ શું છે

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (12:12 IST)
'પ્યોર વેજ ફ્લીટ' લૉન્ચ થયા બાદ થઈ રહેલી ટીકાઓ વચ્ચે ઝોમેટોના સીઈઓ દીપેન્દ્ર ગોયલે હવે તેમાં ફેરફાર કરવાની વાત કરી છે.
 
'પ્યોર વેજ ફ્લીટ' લૉન્ચ થયા બાદ થઈ રહેલી ટીકાઓ વચ્ચે ઝોમેટોના સીઈઓ દીપેન્દ્ર ગોયલે હવે તેમાં ફેરફાર કરવાની વાત કરી છે.
 
અગાઉ, કંપનીએ કહ્યું હતું કે, તે તેના ગ્રાહકો માટે 'શુદ્ધ શાકાહારી' ડિલિવરીની સુવિધા શરૂ કરી રહી છે, જેઓ 100 ટકા શાકાહારી ખોરાક પસંદ કરે છે. તેણે આને 'શુદ્ધ શાકાહારી મોડ' કહ્યું હતું.
 
ઝોમેટોના સહ-સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે શરૂઆતમાં દાવો કર્યો હતો કે, શાકાહારી ફૂડની અલગ ડિલિવરી માટેની યોજનાને લોકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ 11 કલાકમાં જ દીપેન્દ્ર ગોયલે પ્લાન બદલવો પડ્યો.
 
સોશિયલ મીડિયા પર ભારે ટીકા થયા બાદ તેમણે હવે આ નિર્ણય બદલ્યો છે.
 
શું છે સમગ્ર મામલો?
મંગળવારે, દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે, કંપની "શુદ્ધ શાકાહારી મોડ" શરૂ કરી રહી છે, જેમાં શાકાહારી ખોરાકનો ઑર્ડર આપનારાઓને ઍપ્લિકેશન પર ફક્ત શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં જ દેખાશે અને નૉન-વેજ ફૂડ ઑફર કરતી રેસ્ટોરાં દેખાશે નહીં.
 
"શુદ્ધ શાકાહારી રાઇડર્સનું અમારું જૂથ શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાંથી ખોરાક લેશે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડશે. આ માટે લીલા રંગનાં બૉક્સ હશે."
 
લોકોએ સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરી હતી. ઘણા લોકોએ કહ્યું કે, શાકાહારી ખાનારાઓને શુદ્ધ તરીકે લેબલ કરવું એ ઝોમેટોની ભેદભાવની નીતિ દર્શાવે છે.

"આવી સ્થિતિમાં, શુદ્ધ શાકાહારી ખોરાક અને માંસાહારી ખોરાક એક જ બૉક્સમાં ક્યારેય પહોંચાડવામાં આવશે નહીં."

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article