યમુનોત્રીમાં વરસાદ, યાત્રા રોકવી પડી

Webdunia
રવિવાર, 12 મે 2024 (09:04 IST)
જ્યારે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા ત્યારે 29,030 ભક્તોએ ધામમાં બાબા કેદારના દર્શન કર્યા હતા. અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર યમુનોત્રી ધામના દ્વાર ખુલતાની સાથે જ ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને સુરક્ષાના કારણોસર જાનકીચટ્ટીથી આગળ જતા અટકાવવા પડ્યા હતા. પહેલા જ દિવસે યમુનોત્રી પહોંચનારા મુસાફરોની સંખ્યા 12 હજાર 193 હતી અને ગંગોત્રી પહોંચનારાઓની સંખ્યા 5 હજાર 203 હતી. ઉત્તરાખંડ સરકાર હેઠળ કામ કરતી ચારધામ યાત્રા મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

<

???? आवश्यक सूचना

श्री यमुनोत्री धाम यात्रा कर रहे श्रद्धालुओं के लिए महत्वपूर्ण सूचना।#CharDhamYatra2024 #CharDhamYatra #YamnotriDham pic.twitter.com/BNoTnwsUex

— Uttarakhand Police (@uttarakhandcops) May 12, 2024 >
 
ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશન માટે ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં ચારધામ યાત્રા માટે 23 લાખ 57 હજાર 393 નોંધણી થઈ હતી. કેદારનાથ માટે સૌથી વધુ 8 લાખ 7 હજાર 90 નોંધણી, બદ્રીનાથ ધામ માટે 7 લાખ 10 હજાર 192, યમુનોત્રી માટે 3 લાખ 68 હજાર 302 અને ગંગોત્રી માટે 4 લાખ 21 હજાર 205 નોંધણી થઈ છે. તે જ સમયે, હેમકુંડ સાહિબ માટે આ વખતે અત્યાર સુધીમાં 50 હજાર 604 નોંધણી થઈ ચુકી છે.

સંબંધિત સમાચાર

Next Article