ભોપાલમાં CM ભૂપેન્દ્રભાઈ આપી રહ્યા હતા ભાષણ, અચાનક થયુ કંઈક એવુ, બોલ્યા - આ આપણા હાથમાં નથી

Webdunia
મંગળવાર, 1 એપ્રિલ 2025 (12:35 IST)
bhupendra patel_image source X
Madhya Pradesh News- ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સોમવારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ. તેનાથી સભાગૃહમાં અંધારુ થઈ ગયુ. લગભગ એક મિનિટ વીજળી પરત આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યુ. વીજળી ગુલ થઈ જવાનો વીડિયો સામે આવ્યો છે.  

<

सदाकाल गुजरात कार्यक्रम में सहभागी होने हेतु आज मध्य प्रदेश के दौरे पर हूं, तब मध्य प्रदेश के माननीय मुख्यमंत्री डॉ. मोहन यादव जी से मुलाकात और संवाद का अवसर प्राप्त हुआ।

उनके साथ राज्यों के विकास संबंधित विविध आयामों पर चर्चा की और पौधारोपण किया।@DrMohanYadav51 pic.twitter.com/hZ2lDh8NaP

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 31, 2025 >
 
અચાનક જ વીજળી થઈ ગુલ 
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ભોપાલના રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ ત્યા સભાગૃહમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ. જ્યારે લાઈટ પરત આવી ત્યારે સીએમ ભૂપેન્દ પટેલે માઈક ચેક કર્યુ અને કહ્યુ - આપણા હાથમાં શુ છે એ આવા સમયે જાણ થાય છે.  તેમણે કહ્યુ કે ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યા એક ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત.  
 
ભોપાલના રવિન્દ્ર ભવનમાં આયોજીત અખિલ ભારતીય ગુજરાતી સમાજના કાર્યક્રમ સદકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતન સીએમ પહોચ્યા હતા. અહી કાર્યક્રમને સંબોધિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આઝાદીના આંદોલનમાં દેશને ગુજરાતે જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના રૂપમાં મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યુ છે. હવે પ્રધાનમંત્રી મોદી પણ દેશને આગળ લઈ જઈ રહ્યા છે. ગુજરાતના ભૌગોલિક પડકારોને જ પ્રધાનમંત્રી મોદીએ તકમાં બદલ્યુ અને રાજ્યને દેશનુ ગ્રોથ એંજિન બનાવ્યુ છે.  આ તેમની કાર્યકુશળતા અને ઈચ્છાશક્તિ છે. 

સંબંધિત સમાચાર

Next Article