13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થયો હતો અને આ મહા કુંભ આજે મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થઈ રહ્યો છે. લાખો લોકો આજે સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આ દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે આગામી કુંભ મેળો ક્યારે અને ક્યાં યોજાશે?
પ્રયાગરાજના મહા કુંભ મેળાની સમાપ્તિ બાદ હવે આગામી કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં કરવામાં આવશે, અને આ મેળાનું આયોજન 2027માં કરવામાં આવશે. તેને 'અર્ધ કુંભ 2027' તરીકે ઓળખવામાં આવશે. હરિદ્વારમાં ગંગા કિનારે યોજાનાર આ મેળાની ઉત્તરાખંડ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારના આદેશ બાદ હરિદ્વારના સરકારી અધિકારીઓએ પણ આ મેળાની તૈયારીઓને લઈને બેઠક યોજી છે.
કુંભ મેળા માટે ટ્રાફિક પ્લાન
ઉત્તરાખંડ સરકારે અર્ધ કુંભ 2027ની તૈયારીઓ અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગઢવાલના આઈજી રાજીવ સ્વરૂપે કહ્યું કે અર્ધ કુંભ મેળા 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બેઠકમાં 2027માં યોજાનારા કુંભ મેળા માટે ટ્રાફિક પ્લાન શું હશે, પાર્કિંગની વ્યવસ્થા શું હશે, ભીડ