5 લોકોની હત્યાથી સનસની, મૃત્યુ પામેલી બે મહિલાઓ ગર્ભવતી હતી

Webdunia
શનિવાર, 28 મે 2022 (14:52 IST)
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાએ સનસની મચાવી દીધી હતી. જયપુરના ડુડુ શહેરમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોની હત્યા કરવામાં આવી હતી, જે બાદ કૂવામાંથી કુલ 5 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓમાંથી બે ગર્ભવતી હતી. રિપોર્ટ અનુસાર સાસરિયાઓએ ત્રણ મહિલાઓ અને બે બાળકોની હત્યા કરી હતી. જે મહિલાઓ (તમામ બહેનો)ના મૃતદેહ મળી આવ્યા તેમાં કાલુદેવી અને તેની બે બહેનોનો સમાવેશ થાય છે.
 
કાલુ દેવીના બે બાળકો (એક ચાર વર્ષનો અને બીજો 27 દિવસનો)ના મૃતદેહ પણ મળી આવ્યા છે. તે જ સમયે, તેની બે બહેનો મમતા દેવી અને કમલેશના મૃતદેહ પણ શહેરથી બે કિલોમીટર દૂર આ જ કૂવામાંથી મળી આવ્યા છે. કાલુ દેવીની બંને બહેનો ગર્ભવતી હતી અને તે ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. એક સાથે પાંચ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે  ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા છે અને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જણાવી દઈએ કે બુધવાર સાંજથી 3 સગી બહેનો સાથે તેમના બે બાળકો પણ ગુમ હતા. રિપોર્ટ અનુસાર, પંદર દિવસ પહેલા મોટી બહેનને માર મારવામાં આવ્યો હતો અને તેની આંખમાં ઈજા થઈ હતી. તે થોડા સમય પહેલા હોસ્પિટલમાંથી પરત આવી હતી અને તેના સાસરિયાઓ તરફથી સતત દહેજની માંગણી કરવામાં આવતી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article