અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં PM મોદી ગુજરાતને બીજી વાર વંદે ભારતની ભેટ આપશે, જાણો ભાડું

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2023 (11:59 IST)
Jodhpur-Sabarmati Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. 9 મહિનાના અંતરાલ બાદ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળશે. હાલમાં વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડે છે.
 
જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે. સાબરમતીથી જોધપુર સુધીની આ ટ્રેનનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અન્ય ભારતીય ભાડા પ્રમાણે તે 800 થી 1600 રૂપિયા હોઈ શકે છે.
 
આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે ટ્રેનની જાળવણી કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે તે સાબરમતીથી 16.45 વાગ્યે ઉપડશે અને 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અને જોધપુર વચ્ચેનું અંતર કાપવામાં આઠ કલાક લે છે. જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article