Vande Bharat Train- વંદે ભારત એક્સપ્રેસમાં આગ

સોમવાર, 17 જુલાઈ 2023 (11:26 IST)
Fire in Vande Bharat Express વંદે ભારતમાં અચાનક આગ, ભોપાલથી દિલ્હી જતી ટ્રેન, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
 
ભોપાલ. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. હાલ દલકલના વાહનોએ આગને કાબુમાં લીધી છે.
 
મળતી માહિતી મુજબ, કુરવાઈ કૈથોરા રેલવે સ્ટેશન પાસે સોમવારે સવારે વંદે ભારત ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. ટ્રેન ભોપાલની રાણી કમલાપતિથી દિલ્હી નિઝામુદ્દીન જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર