- સંભાજીનગરના કેન્ટોનમેન્ટ કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી
- દુકાનમાં આગ લાગવાથી 7 લોકો જીવતા સળગી ગયા.
- મરનારાઓમાં 3 મહિલા, બે પુરૂષ અને બાળકોનો સમાવેશ
મહારાષ્ટ્રમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક મકાનમાં આગ લાગવાથી 7 લોકો જીવતા સળગી ગયા. મરનારાઓમાં 3 મહિલા, બે પુરૂષ અને બાળકોનો સમાવેશ છે. આગણી આ ભીષણ ઘટનાથી આસપાસમાં પણ હાહાકાર મચી ગયો છે. દુર્ઘટના એટલી સવારે થઈ કે શરૂઆતમાં તો આસપાસના લોકોને કઈ સમજાયુ નહી. જ્યા સુધી ઘટનાની ગંભીરતા સમજી શકતા ત્યા સુધી મકાન ખાખ થઈ ચુક્યુ હતુ. બીજી બાજુ સવારના ચાર વાગ્યે બધા પીડિત ગાઢ ઉંઘમાં હતા. તેઓ કંઈ સમજી શકે ત્યા સુધી આગના લપેટામાં આવી ગયા હતા. બચવાનો કોઈ ઉપાય નહોતો.
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય
આ ભયાનક આગમાં 7 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલા, 2 પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ ભયાનક ઘટનાએ આજુબાજુ તેમજ પોલીસ પ્રશાસનને આંચકો આપ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે પાડોશીઓ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.