લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ મળી અને અઢળક સન્માન મળ્યું. તેમના દરેક ક્ષેત્રે પ્રશંસકો રહ્યા છે. અહીં જુઓ તેમના જીવનની કેટલીક દુર્લભ તસવીરો
ભારતીય સિનેમાનાં સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને એક મહિના પહેલાં કોરોના સંક્રમણ બાદ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે 8 વાગ્યા ને 12 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધો.