IPL Final 2025 Prediction: પંજાબ કિંગ્સે અમદાવાદમાં રવિવારે રમાયેલ ક્વાલેફાયર 2 માં મુંબઈ ઈંડિયંસને પાંચ વિકેટથી હરાવ્યુ આ સાથે પંજાબે આઈપીએલ ઈતિહાસમાં બીજી વાર ખિતાબી મેચમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ. આ પહેલા પંજાબની ટીમે વર્ષ 2014 આઈપીએલ ફાઈનલ રમી હતી. આઈપીએલ 2025 આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ત્રણ જૂનના રોજ અમદાવાદમાં જ રમાશે. જ્યા કિંગ્સનો સામનો રોયલ ચેલેંજર્સ બેંગલુરુ સાથે થશે. ક્વાલીફાયર-1 માં પંજાબ ને જ હરાવીને આરસીબીની ટીમ ફાઈનલમાં પહોચી છે.
14માથી 11 વાર એવુ થયુ જ્યારે ક્વાલીફાયર-1 જીતનારી ટીમ બની છે વિજેતા
આવુ 9 વર્ષ પછી થવા જઈ રહ્યુ છે જ્યારે આરસીબી ખિતાબી મેચ રમશે. આ પહેલા, RCB 2009, 2011 અને 2016 માં ફાઇનલ રમ્યું હતું. એ હકીકત છે કે 14 માંથી 11 વખત, ક્વોલિફાયર-1 જીતનાર ટીમે તે સિઝનમાં ટાઇટલ પણ જીત્યું હતું. 2008 થી 2010 સુધી, લીગની નોકઆઉટ મેચો સેમિ-ફાઇનલ ફોર્મેટમાં રમાતી હતી. તે સમયે બે સેમિ-ફાઇનલ અને એક ફાઇનલ મેચ રમાઈ હતી.
2011 માં, નિયમો બદલાયા અને પ્લેઓફ શરૂ થયા. નવી સિસ્ટમ હેઠળ, પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે. નવી પ્લેઓફ સિસ્ટમ દાખલ થઈ ત્યારથી, 2024 સુધી, ક્વોલિફાયર-1 જીતનાર ટીમે તે સિઝનમાં 11 વખત ટ્રોફી જીતી છે.