કન્યા-વ્‍યક્તિત્‍વ
"કન્‍યા રાશિનો સ્‍વભાવ અત્‍યંત રહસ્‍યમય હોય છે. તેઓ વાત કરવામાં કુશળ હોય છે. પૃથ્‍વી સાથે સંબંધ ધરાવતી આ રાશિ સેવા, સ્‍વાસ્‍થ્ય અને વ્યવસાયથી સંબંધ રાખે છે. તેઓ પોતાની યોજના અને કાર્યમાં સફળ થાય છે. તેઓનો સાથ કાયમી રહેતો નથી. તેમનો વ્‍યવહાર દયાળુ હોય છે. કન્યા રાશિનો પુરૂષ પોતાને સારો સમજે છે, મળેલ ઘનને મહેનત દ્વારા ચૂકવવામાં માને છે, દગા દ્વારા નફરત કરવા વાળો અને હંમેશા સારો વ્‍યવહાર પસંદ કરે છે. તેમના વ્‍યક્તિત્‍વના બે સ્‍વરૂપ હોય છે. તેમનું જીવન અંદરથી અને બહારથી અલગ હોય છે.તેઓ દરેક કાર્ય મનમાનીથી કરે છે. તેઓ સ્‍વાભિમાની હોય છે. નિશ્ચયના પાકા હોય છે. પ્રસિદ્ધ‍િ મેળવવાની ગુપ્ત ઇચ્‍છા રહે છે. કામુક હોય છે. પોતાનામાં વિશ્વાસ રાખનાર સ્‍ત્રી અને ઉન્‍મુક્ત પ્રેમ ગમે છે. તેઓ મિલનસાર, સેવાભાવી હોય છે. તેમને સ્‍વચ્‍છતા ગમે છે. તેમને હરાવવા મુશ્કેલ છે કારણ કે, મુશ્કેલીમાં પણ તેઓ આત્‍મનિયંત્રણ ગુમાવતા નથી. તેમને સમસ્‍યાયુક્ત જીવન પસંદ છે. જ્યારે તેના સંબંધ ખરાબ થાય છે. ત્યારે તેઓ ઉગ્ર રૂપ ધારણ કરે છે. ઘણી વખત તેમાં ગાઢ પ્રેમ સંબંધ પણ ટૂટી જાય છે. ઘરમાં એક વ્‍યક્તિ સાથે તેમને વધારે લગાવ રહે છે."

રાશી ફલાદેશ