મકર-સ્‍વભાવની ખામી
મકર રાશીના જાતકો જીદ્દી હોવોથી ખુદને નુકશાન પહોંચાડે છે. તેમને અધિકાર ચલાવવાનું બહુજ ગમતુ હોય છે. ગુસ્સો મોડો આવે છે પણ જ્યારે આવે ત્યારે શાંત થતા સમય લાગે છે. સ્વભાવ ચિડચિડો હોય છે. તેમને કોઇ ને કોઇ વ્યસન જરૂર હોય છે. આ લોકો પોતાના ભાવોને લખીને સારી રીતે વ્યકત કરી શકતા હોય છે. સારા વક્ત્તા હોવાથી સાચી વાત કહે છે. જેના કારણે કેટલાક લોકો તેમના શત્રુ પણ બની જાય છે. ઉપાય - મકર રાશીવાળા જાતકોએ દુ:ખ ના સમયે હાથમાં પુષ્પરાજ, નીલમણિ, લસણિયો, મૂંગા વગેરેમાંથી કોઇ પણ એક નંગ ધારણ કરવો જોઇએ. શનિવાર અથવા ગુરુવાર નો ઉપવાસ કરવો. શિવ, દત્ત, દેવી, ગણેશ અને ગાયત્રીની ઉપાસના કરતા રહેવુ જોઈએ. રામાયણનો સુંદરકાંડ રોજ વાંચવો અથવા હનુમાન ચાલીસા રામ રક્ષા કવચનો પાઠ કરવો જોઈએ. "ઑમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ:" આ મંત્રના ૨૩,૦૦૦ જાપ મનોકામના પુરી કરવામા સહાયક છે.

રાશી ફલાદેશ