મકર-સ્‍વાસ્‍થ્ય
મકર રાશીવાળાઓ માટે એક સમય ભોજન કરવુ લાભદાયક રહે છે. વાતવિકાર, પેટવિકાર, બવાસીર, ચર્મરોગ આંખની કમજોરી મધુમેહ, રક્તચાપ, દાંતનુ દર્દ વગેરેમાથી એકની તકલીફ અવશ્ય રહે છે. જીવનમાં એક વાર ટાયફોઇડ અવશ્ય થાય છે. આ વ્યક્તિઓ બિમાર નથી થતાં અને થાયતો થોડા સમય માટે. આ રાશીવાળી સ્‍ત્રીઓને ગર્ભપાત, સન્ધિવાત, અને માથાનો દુ:ખાવો નો ભય બની રહે છે. આ લોકો પોતાની દિલની નબળાઇની જાણ બીજાને થવા નથી દેતા. બાહરી હિમ્મત અને સાહસ બતાવવામા ચતુર હોય છે. બીમાર પડે તો ગભરાઇ જાય છે, ઘરમાં પણ કોઇ નુ સ્વાસ્થ્ય ખરાબ થાય તો માનસિક રુપ થી અસ્વસ્થ થઇ જાય છે. તેમનુ શરીર દુર્બલ અને અશક્ત હોય છે. શીત અને વાયુની અધિકતા હોવાને કારણે શીત રોગ, ન્‍યુમોનિયા, ઘૂટંણ નુ દર્દ, ત્વચારોગ વગેરેથી ઘેરાયેલા રહે છે. અત્યાધિક વિશ્રામ ના કારણે શરીરમાં શિથિલતા અને અસ્વસ્થતા રહે છે. તેમને પોતાના શરીરનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. આળસને ત્યાગી, વાયુ ઉત્તપન્ન ક્રરવાવાળી વસ્તુઓથી દૂર રેહેવું. હંમેશા સંતુલીત ભોજન કરવું જોઇએ. વિટામિન બી, સી અને લોહ તત્વોવાળી વસ્તુઓનુ સેવન કરવું. લીલા શાકભાજી અને તાજા ફળોનુ સેવન વધુ કરવું.

રાશી ફલાદેશ