અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

Webdunia
રવિવાર, 15 સપ્ટેમ્બર 2024 (13:50 IST)
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે દિલ્હીના કહેવાતા દારૂ કૌભાંડ કેસમાં આરોપી અને જેલવાસ ભોગવીને પણ સરકાર ચલાવી હતી. તિહાર જેલમાંથી જામીન પર પરત ફર્યાના ત્રીજા દિવસે જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
 
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી કે તેઓ આગામી બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. આ દરમિયાન તેણે મનીષ સિસોદિયા વિશે પણ જાહેરાત કરી છે.
 
કેજરીવાલે કહ્યું છે કે મનીષ સિસોદિયા પણ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું પદ ત્યારે જ સંભાળશે જ્યારે દિલ્હીની જનતા કહેશે કે મનીષ સિસોદિયા ઈમાનદાર છે. હું અને મનીષ સિસોદિયા બંનેનો નિર્ણય જનતાના હાથમાં છે. અમારો નિર્ણય જનતાની અદાલતમાં છે. જનતા નક્કી કરશે ત્યારે જ અમે આ પદો પર બેસીશું.
 
દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે - કેજરીવાલ
જામીન પર બહાર આવેલા વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ બે દિવસમાં રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું, 'આમ આદમી પાર્ટીનો એક નેતા મુખ્યમંત્રી બનશે. કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી ચૂંટણી નહીં થાય અને જનતાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના અન્ય નેતા મુખ્યમંત્રી બનશે. આગામી બે-ત્રણ દિવસમાં ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article