અરવિંદ કેજરીવાલ જામીન વિરુદ્ધ EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે

મંગળવાર, 25 જૂન 2024 (14:19 IST)
Arvind kejriwal - શું આજે સીએમ અરવિંદ કેજરીવાલને મુક્ત કરવામાં આવશે? જામીન વિરુદ્ધ EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે
 
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની જામીન માંગતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે મંગળવારે (25 જૂન) પોતાનો ચુકાદો સંભળાવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન આપવાના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે માંગ્યો હતો.
 
દિલ્હી હાઈકોર્ટે જામીન વિરુદ્ધ EDની અરજી પર સુનાવણી કરતા સીએમ કેજરીવાલની મુક્તિ પર રોક લગાવી દીધી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગયા અઠવાડિયે 20 જૂને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. EDએ માર્ચ 2024માં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર રોક  લગાવી દીધી છે
 
21 જાન્યુઆરીએ EDએ સીએમ કેજરીવાલના જામીન સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને નીચલી કોર્ટના આદેશ પર સ્ટે માંગ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર