ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયું 'યુદ્ધ', બે દેશો વચ્ચેના સંઘર્ષ પર ભારતે શું કહ્યું?

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (16:02 IST)
ભારતે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે અમે ખૂબ જ ચિંતિત છીએ અને આ હુમલાથી ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.

ભારતે આ ઘટનાક્રમ પર તણાવને તાત્કાલિક ઘટાડવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હવાઈ હુમલામાં બે જનરલ સહિત ઈરાનના 'રિવોલ્યુશનરી ગાર્ડ'ના સાત જવાન માર્યા ગયા હતા. તેના જવાબમાં શનિવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવી હતી.

<

Statement on the situation in West Asia:https://t.co/kpJzqwTVWC pic.twitter.com/cSbJQrAjCC

— Randhir Jaiswal (@MEAIndia) April 14, 2024 >
 
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર ભારતે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને લઈને અત્યંત ચિંતિત છીએ.

તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું, 'આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્વનું છે કે પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.

સંબંધિત સમાચાર

Next Article