Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2024 (18:46 IST)
Chandra Grahan and Pitru Paksha 2024: વર્ષનુ બીજુ ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ લાગવા જઈ રહ્યુ છે. જો કે આ આંશિક ચંદ્ર ગ્રહણ હશે. જેની અસર આખી દુનિયા પર પડશે.  જ્યોતિષ શાસ્ત્રના મુજબ આ ચંદ્ર ગ્રહણનુ કેટલીક રાશિઓના લોકો પર નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આવામાં કંઈ રાશિના લોકોને સાવધ રહેવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ પ્રતિપદા તિથિનુ શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ શરૂ થશે. 
 
 
મેષ -  મેષ રાશિના લોકો તેમના નજીકના વ્યક્તિ સાથેના સંબંધોમાં મોટા ફેરફારો જોઈ શકે છે. આ રોમેન્ટિક પાર્ટનર, સારો મિત્ર, બિઝનેસ પાર્ટનર અથવા તો દુશ્મન પણ હોઈ શકે છે. તમારી પરિસ્થિતિના આધારે, આંશિક ચંદ્રગ્રહણ તમને તમારા સંબંધને વધુ ગાઢ બનાવવા અથવા તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે પ્રેરણા આપી શકે છે.
 
વૃષભઃ- વૃષભ રાશિના લોકો માટે આ મહિનો શુભ સંકેત લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે અને અચાનક આર્થિક લાભની તકો મળશે. તેનાથી આ રાશિના જાતકોની લવ લાઈફમાં સુધારો થઈ શકે છે. વિવાહિત જીવનમાં તાલમેલ રહેશે અને સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડશે.
 
મિથુનઃ- મિથુન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ આ રાશિના લોકોના લગ્નમાં આવનારી અડચણો દૂર થઈ શકે છે. તમને તમારા પ્રેમ જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પરંતુ થોડી સાવધાની રાખવી પડશે.
 
કર્કઃ- કર્ક રાશિના લોકોને કરિયરમાં પરિવર્તનનો અનુભવ થવાની સંભાવના છે. આ ચંદ્રગ્રહણ તેમના કારકિર્દી ક્ષેત્રને સક્રિય કરશે. તેઓ તેમની વર્તમાન નોકરી છોડવાનું નક્કી કરી શકે છે. જો કે, આ ફેરફારો તેમના અંગત જીવન પર પણ અસર કરી શકે છે, તેથી નિર્ણયો કાળજીપૂર્વક લો.
 
સિંહ રાશિઃ- આ ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકો માટે સારું પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થશે. નોકરીયાત લોકો માટે આ ગ્રહણ ફળદાયી રહેશે.
 
કન્યા - કન્યા રાશિવાળા લોકોને પદ અને પ્રતિષ્ઠાની સાથે પ્રમોશન પણ મળશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ રોકાણ તમને આવનારા દિવસોમાં સારો નફો આપશે.
 
તુલા - તુલા રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.  આ સમય દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ પણ તમને પરેશાન કરી શકે છે. તેથી ત્યાં સાવચેતી રાખવાની જરૂર છે.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ ખૂબ જ સારું રહેશે. આ રાશિના લોકો વ્યાપાર તેમજ લવ લાઈફમાં મોટી સફળતા મેળવી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે.
 
ધનુ - ધનુ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ તેમની આર્થિક સ્થિતિને સૌથી વધુ અસર કરશે. આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. ઉપરાંત, તમારા ઘણા પૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે.
 
મકર - ચંદ્રગ્રહણ મકર રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે. મકર રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં વડીલો સાથે મતભેદ થઈ શકે છે, આ તમારા માટે સારું નથી.
 
કુંભ - આ સમય દરમિયાન તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. નહિંતર તમારી આર્થિક સ્થિતિને ખૂબ અસર થઈ શકે છે. આર્થિક લાભ મેળવવા માટે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે.
 
મીન - મીન રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ સારું સાબિત થશે. મીન રાશિના લોકોને ચંદ્રગ્રહણ પછી તરત જ લાભ મળવા લાગશે. તમારું કામ જે છેલ્લા ઘણા દિવસોથી અટકેલું છે તે પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત, તમને આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ પણ મળશે.

સંબંધિત સમાચાર

Next Article