IPL 2024: 'નિરાશાજનક' સીઝન રહી, MI ના ખરાબ પ્રદર્શન પર આવ્યુ નીતા અંબાનીનુ નિવેદન, રોહિત-પંડ્યા ને આપ્યો આ સંદેશ

Webdunia
મંગળવાર, 21 મે 2024 (16:18 IST)
CRICKET NEWS
આઈપીએલની 17મી સીજન હવે પોતાના ચરમ પર પહોચી રહી છે.  ચારેય ટીમો પ્લેઓફ માટે ક્વાલિફાય કરી ચુક્યા છે. જેમા કલકત્તા, હૈદરાબાદ, રાજસ્થાન અને બેંગલુરુની ટીમો સામેલ છે. મુંબઈ ઈંડિયંસની યાત્રા પુરી થઈ ચુકી છે. તેમને માટે આ સીજન કશુ ખાસ રહ્યુ નથી. ટીમ અંક તાલિકામાં 10મા પગથિયે છે. હવે મુંબઈની માલકિન નીતા અંબાનીએ ટીમના પ્રદર્શન પર વાત કરી છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તેમણે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને સંબોધિત કરતા જોઈ શકાય છે. 

<

Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup #MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw

— Mumbai Indians (@mipaltan) May 19, 2024 >
 
નીતા અંબાનીએ કર્યુ ટીમને સંબોધિત 
આઈપીએલ 2024માં મુંબઈને 14માંથી ફક્ત ચાર મેચોમાં જીત મળી. તેમનુ નેટ રનરેટ (-0.318) પણ આ સીજનનુ સૌથી ખરાબ રહ્યુ.  હવે ટીમના માલિકે કહ્યું કે ખેલાડીઓએ તેમની ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે. નીતા અંબાણીએ કહ્યું, "આપણા બધા માટે નિરાશાજનક મોસમ. વસ્તુઓ અમે ઇચ્છતા તે પ્રમાણે નથી થઈ, પરંતુ હું હજી પણ મુંબઈ ઈન્ડિયન્સની મોટી પ્રશંસક છું. માત્ર એક માલિક જ નહીં. મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરવી એ એક મોટી બાબત છે. વસ્તુ." મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલું હોવું એ એક સન્માન અને વિશેષાધિકારની વાત છે. અમે પાછા જઈને તેના વિશે વિચારીશું."
 
વિશ્વ કપ માટે ભારતીય ખેલાડીઓને નીતા અંબાનીએ આપી શુભેચ્છા 
 આ દરમિયાન નીતા અંબાનીએ ટી20 વિશ્વ કપ 2024 માટે પસંદ કરવામાં આવેલા ભારતીય ખેલાડીઓને પણ શુભેચ્છા આપી.  તેણે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને આગામી વર્લ્ડ કપ માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેણે આગળ કહ્યું, "રોહિત, હાર્દિક, સૂર્યા અને બુમરાહને વર્લ્ડ કપ માટે શુભકામનાઓ. અમને આશા છે કે તમે T20 વર્લ્ડ કપ 2024માં સારું પ્રદર્શન કરશો."

સંબંધિત સમાચાર

Next Article