વરસાદના કારણે એસટીના અનેક રૂટ રદ્દ

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (17:30 IST)
bus stop
હવે ભારે વરસાદને કારણે પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની 264 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાળા, માળિયા હટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી બસ સેવા સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
 
સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ 
હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ છે. જુનાગઢ, માળિયાહાટીની, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ, તલાલામા ભારે વરસાદ છે. ચારેતરફ પાણી ભરાયા છે. જેથી સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ છે. 

સંબંધિત સમાચાર

Next Article