કચ્છના રણને રેલ દ્વારા જોડવામાં આવશે
આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ એ પણ છે કે તે કચ્છના રણને દેશના રેલ નેટવર્ક સાથે જોડશે. આ પ્રોજેક્ટ હેઠળ, ધોળાવીરાના હડપ્પા સ્થળ, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા ઐતિહાસિક અને ધાર્મિક વારસાના સ્થળોને રેલ કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટમાં ૧૩ નવા રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થશે, જેનો સીધો લાભ ૮૬૬ ગામડાઓ અને લગભગ ૧૬ લાખ લોકોને મળશે.