ગુરુગ્રામ હિંસા બાદ દિલ્હીમાં એલર્ટ, પેટ્રોલિંગમાં વધારો; સોશિયલ મીડિયા પર નજર

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (14:18 IST)
દિલ્હી પોલીસે વિવિધ વિસ્તારોમાં એલર્ટ વધારી દીધું છે. ગુરુગ્રામનો વિસ્તાર દિલ્હીની ખૂબ નજીક છે, આવી સ્થિતિમાં હિંસા અહીં ન પહોંચે તે માટે પોલીસ ખૂબ જ સતર્ક છે.
 
હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં હિંસા બાદ વાતાવરણ તંગ છે. આ હિંસામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને હવે સ્થિતિને પાટા પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાનો તાપ રાજધાની દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.
 
દિલ્હી પોલીસે મંગળવારે રાજધાનીના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કર્યું, નૂહ-ગુરુગ્રામની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article