અમદાવાદની SMS હોસ્પિટલ વધુ એક દર્દી સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના જાસ્કા ગામના ગોસ્વામી પરિવારે આક્ષેપ કર્યો છે કે, કિશોરગીરીને પગની આંગળીમાં તકલીફ હતી અને પેટમાં ઓપરેશન કરી નાંખ્યો. એનાથી વધુ વાત એ છે કે ઓપરેશનના 3 મહિના પછી વૃદ્ધનું મોત થયો છે.
અમદાવાદની SMS હોસ્પિટલ વધુ એક દર્દી સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના જાસ્કા ગામના ગોસ્વામી પરિવારે આક્ષેપ કર્યો છે કે, કિશોરગીરીને પગની આંગળીમાં તકલીફ હતી અને પેટમાં ઓપરેશન કરી નાંખ્યો. એનાથી વધુ વાત એ છે કે ઓપરેશનના 3 મહિના પછી વૃદ્ધનું મોત થયો છે.
SMS હોસ્પિટલ પર ગોસ્વામી પરિવારે ગંભીર બેદરકારીનો આરોપ કર્યા છે. તેમનો દાવો છે કે કિશોરગીરીને પગની આંગળીમા તકલીફ હતી અને પેટનુ ઓપરેશન કર્યો છે. આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ હેઠળ કરાયું દર્દીના પરિવારે જણાવ્યુ. દર્દીના પરિવાર કહે છે તેની માટે હોસ્પીટલે તેમની પાસેથી 3 લાખ ખંખેરી લીધા છે અને તેમને બાયપાસ ઓપરેશન કરી નાખ્યુ અને સ્ટેંડ મુકવાનુ હોસ્પીટલે કહ્યુ હતુ.
08:02 AM, 30th Jan
ગુજરાતના બનાસકાંઠામાં 90 ઘરો પર બુલડોઝર કેમ માર્યું? 16 ટીમોએ બાંધકામો તોડી પાડ્યા હતા
ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે સાંજે વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી હતી. અંબાજી મંદિરથી એક કિલોમીટર દૂર ગબ્બર શક્તિપીઠ પાસે આવેલી રબારી કોલોની પરના ગેરકાયદે બાંધકામો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો ખાલી કરવાની છેલ્લી તક સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવી હતી. આ દરમિયાન 90 જેટલા મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વસાહતોમાં ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બાંધવામાં આવેલા તમામ રહેણાંક મકાનોને વહીવટીતંત્રે નોટિસ પાઠવી હતી.