Ram Mandir Ayodhya: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી અને અમિત શાહ ભાગ નહી લે, આ બતાવ્યુ કારણ

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (10:54 IST)
advani amit shah
Ram Mandir Ayodhya: માહિતી મુજબ આ નિર્ણય અડવાણીના 96 વર્ષની વયમાં તેમના આરોગ્યને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે.  અડવાણી ઉપરાંત બીજેપી સરકારમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ પ્રાણ પ્રતિષ્ઠા આયોજનમાં ભાગ નહી લે. 
 
અમિત શાહ પોતાના પરિવાર સાથે બિરલા મંદિરમાં હાજર રહેશે અને ત્યાથી જ તેઓ લગભગ 3 કલાક સુધી પ્રાણ પ્રતિષ્ઠા આયોજનની લાઈવ સ્ટ્રીમિંગ જોશે. જુદા-જુદા કાર્યક્રમ શેડ્યુલને કારણે બીજેપીના અનેક દિગ્ગજ નેતા અયોધ્યા જઈ શકશે નહી.  જો કે હજુ સુધી અડવાની અને અમિત શાહ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

<

VIDEO | Security check in place at Delhi's Birla Mandir ahead of Union Home Minister Amit Shah's visit later today. pic.twitter.com/BRUn6JICoI

— Press Trust of India (@PTI_News) January 22, 2024 >
 
Ram Mandir Ayodhya: અયોધ્યામાં આજનુ હવામાન કેવુ છે 
 
Ram Mandir Ayodhya: આજે સવારે અયોધ્યામાં તાપમાન 8°C દર્જ કરવામાં આવ્યો. આગામી કેટલાક કલાક સુધી અયોધ્યાના દિવસનુ તાપમાન અને દ્રશ્યતામાં થોડી કમી થવાની આશા છે. ત્યારબાદ સુધાર થઈ શકે છે.  હવામાન વિભાગ મુજબ અયોધ્યામાં આજે કોલ્ડ ડે ની સ્થિતિ છે. આજે ન્યૂનતમ તાપમાન 7 અને અધિકતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયર રહી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article