Ishudan Gadhvi- ઈસુદાને સોશિયલ મીડિયા પર લખ્યું, “સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, સત્તા તો પહેલા પણ હતી”

Webdunia
રવિવાર, 11 ડિસેમ્બર 2022 (14:08 IST)
ઈસુદાને ફેસબુક પોસ્ટમાં ફોટા સાથે લખ્યું છે કે “ખંભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મૂક્યો જેને પગલે લોકોનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી! ભલે ચૂંટણી હાર્યો પણ લોકો માટે કામ કરવા સતત લોકોની વચ્ચે રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો! સત્તા તો પહેલાં પણ હતી જ એને છોડીને આવ્યો છું!”
 
ઉલ્લેખનીય છે કે ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીનો ભાજપના મુળુભાઈ બેરા સામે પરાજય થયો હતો. ઈસુદાનને 59089 મત મળ્યા હતા જ્યારે મૂળુભાઈને 77,834 મત મળ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

Next Article