ગુજરાતમાં સતત કોરોના કેસ ઘટ્યા, આજે નોંધાયા 848 કેસ

Webdunia
રવિવાર, 6 જૂન 2021 (20:22 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 848 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2915 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,88,293 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.58 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,008 એક્ટિવ દર્દી છે, જે પૈકી 371 લોકો વેન્ટિલેટર પર છે અને 17,637 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,88,293 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,933 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 12 દર્દીઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

Next Article