બ્લાસ્ટ બાદ નોઈડાના ટ્વીન ટાવર તાશના પત્તાના જેમ વિખેરાઈ ગયા, વિસ્ફોટથી થોડી જ સેકન્ડોમાં નાશ પામ્યો

Webdunia
રવિવાર, 28 ઑગસ્ટ 2022 (14:37 IST)
બ્લાસ્ટ બાદ નોઈડાના ટ્વીન ટાવર તાશના પત્તાના જેમ વિખેરાઈ ગયા હતા. તેને નીચે લાવવા માટે 3,700 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

<

https://t.co/iqc0Wbscbm

— ANI (@ANI) August 28, 2022 >
નોઈડાના સેક્ટર 93માં આવેલી સુપરટેક એમેરાલ્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા ટ્વિન ટાવર આજે થોડા કલાકો પછી તોડી પાડવામાં આવશે. આ ટાવરોને તોડી પાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં એમરાલ્ડ કોર્ટ અને એટીએસ ગ્રીન સોસાયટીના તમામ 1396 ફ્લેટ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યા છે.
જ્યારે કેટલાકે અહીંની હોટલોમાં રૂમ ભાડે રાખ્યા છે. કેટલાક લોકોના રહેવા માટે નજીકની અન્ય સોસાયટીઓમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારને તેમના રક્ષણ હેઠળ લઈ લીધો છે અને હવે ટાવર્સની આસપાસ અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતા. 
 

સંબંધિત સમાચાર

Next Article