એયર ઈંડિયાએ કાબુલની એકમાત્ર વિમાનયાત્રા રદ્દ કરી

Webdunia
સોમવાર, 16 ઑગસ્ટ 2021 (16:51 IST)
એર ઈન્ડિયાએ પૂર્વ-નિર્ધારિત પોતાની એકમાત્ર દિલ્હી-કાબુલ હવાઈયાત્રા રદ્દ કરી દીધી છે જેથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રથી બચી શકાય  કાબુલ એરપોર્ટ સત્તાવાળાઓએ "અનિયંત્રિત" પરિસ્થિતિ જાહેર કર્યા બાદ એરલાઇને આ પગલું ભર્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે આ એકમાત્ર વ્યાપારી ફ્લાઇટ હતી અને એર ઇન્ડિયા એ બંને દેશો વચ્ચે એકમાત્ર એરલાઇન ઓપરેટિંગ ફ્લાઇટ્સ છે. સોમવારે એરલાઇને અમેરિકાથી દિલ્હી આવી રહેલ પોતાના બે વિમાનોનો રસ્તો આ જ આ કારણોસર બદલીને સંયુક્ત અરબ અમીરાતથી શારજાહ કરી નાખ્યો. 

<

These scenes from Kabul airport are heartbreaking. Desperate Afghans attempting to escape the Taliban. The US forces leave thousands of Afghans behind who have helped them. They will likely be slaughtered by the Taliban for collaborating with the US. pic.twitter.com/hmJLDZLBYc

— Kim Dotcom (@KimDotcom) August 16, 2021 >
 
કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, અમેરિકન સૈનિકોને ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. તાલિબાન કાબુલ પર કબ્જો કરી લેતા હતાશ નાગરિકો વહેલી તકે અહીથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. અંધાધૂંધીને ડામવા માટે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article