Crime news- પરણિતા પર વ્યાજખોરે દાનત બગાડી

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (15:48 IST)
પરણિતા પર વ્યાજખોરે દાનત બગાડી-  એક મહિલાએ તેના પતિની સારવાર માટે એક પુરુષ વ્યાજનો ધંધો કરતો હતો પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા.  જ્યારે મહિલા સમયસર લોનની સંપૂર્ણ ચૂકવણી કરી શકી ન હતી, તો તે વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો અને વીડિયો પણ બનાવ્યો.
 
મામલો રાજસ્થાનના નાગૌરનો છે. જાણકારી મુજબ પીડિતા નો પતિ પેરાલાઈસિસથી પીડિત છે. મહિલા મેહરદીનની પાસે ગઈ અને 10 હજારની લોન લઈને ઘર પરત આવી પતિની સારવાર કરાવી. આરોપ છે કે મહિલાએ મેહરદીનથી ઉછીના લીધા પૈસામાંથી 5 હજાર રૂપિયા આપી દીધા હતા અને જલ્દી જ બાકીની રકમા પણ આપવાની વાત કરી હતી. 
 
 
રિપોર્ટસ મુજબ આરોપીએ વ્યાજ જોડીને રકમ વધારી નાખી અને રકમની માંગણી કરવા લાગી.. મહિલાની તરફથી નોંધાયેલ ફરિયાદના મુજબ એક દિવસ જ્યારે તેમનોપ પતિ બહાર ગયો હતો તો મેહરદીના ઘરે  પહોંચ્યો અને તેમની સાથે રેપ કર્યો. આ દરમિયાન તેણે વીડિયો પણ બનાવ્યો હતો. 7 ઓગસ્ટને થાના પહોંચી મહિલાએ જણાવ્યુ કે આરોપીએ રેપના દરમિયાન બનાવેલ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી નાખ્યો હતો. તેનાથી પરેશાન થઈને સુસાઈડની કોશિશ પણ કરી હતી. પણ સ્થાનીય લોકોએ તેને બચાવી લીધો હતો. 

સંબંધિત સમાચાર

Next Article