હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે. ગઈકાલે ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર માચી ગઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે
ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઊલટાનો વિવાદ વકરતો જાય છે.
અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી