ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય છે. રસ્તાઓ પર અવરજવર વધી છે અને દુકાનો અને હોટલો ખુલી ગઈ છે. ગુજરાતથી રાજસ્થાન જતી રાત્રિ ટ્રેનો પણ ફરી શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, કચ્છ અને જામનગરમાં હાલમાં બ્લેકઆઉટ માટે કોઈ સૂચનાઓ નથી.
યુદ્ધવિરામ છતાં, પાકિસ્તાને ફરી ગુજરાતના સરહદી વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે ભુજ, જામનગર અને દ્વારકા ત્રણ જિલ્લાના ૯૪ ગામોમાં અંધારપટ Black Out છવાઈ ગયો હતો.