અમરેલીમા બોટ દુર્ઘટનામાં ગુમ થયેલા 11 લોકો પૈકી ૩ નાં મૃતદેહ મળ્યા, 8 હજુ ગુમ

શનિવાર, 23 ઑગસ્ટ 2025 (10:00 IST)
મંગળવારે સાંજે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે બે બોટ પલટી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દરિયામાં ડૂબી ગયા હતા. 10 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ આઠ માછીમારો હજુ પણ ગુમ છે.
 
જો કે ડુબી ગયેલી બોટના ગુમ માછીમારો પૈકી 3 માછીમારના મૃતદેહ મળી આવ્યા હતા. 30 નોટિકલ માઈલ દૂરથી 3 મૃતદેહ મળ્યા હતા. જો કે 8 હજુ લાપતા છે. 3 બોટ ડૂબી જવાને કારણે કુલ ખલાસીઓ પૈકી 11 ખલાસીઓ ગુમ થયા હતા
 
ગુજરાતના અમરેલીમા દરિયો તોફાની બનતા કુલ 3 બોટ ડુબી ગઇ હતી. આ વિકટ પરિસ્થિતિમાં જાફરાબાદથી આશરે 18 નોટિકલ માઈલ દુર 3 માછીમારી બોટ દરિયામાં ડૂબી ગઇ હતી. આ બોટમાં કુલ 28 માછીમારો સવાર હતા. જે પૈકી 17 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ ગુમ છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ સમસ્યા આવી રહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર