વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે

બુધવાર, 14 ડિસેમ્બર 2022 (11:22 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
 
ત્યારબાદ આખા નગર પર હૅલિકોપ્ટરથી ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા 3 હૅલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે.
 
આજે સાંજે 5 વાગ્યાથી મહોત્સવનો પ્રારંભ થશે.
 
આજથી અમદાવાદના ઓગણજ ખાતે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સરદાર પટેલ રિંગ રોડ પાસે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.
 
આ કાર્યક્રમમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો અને સેંકડો સ્વામીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
 
આ કાર્યક્રમમાં નવા મુખ્ય મંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેવાના છે. સાથે 24 દેશના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી ઍરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની અવરજવર રહેશે.
 
આ કાર્યક્રમ 250થી વધુ ખેડૂતો અને બિલ્ડરોના સમર્થનથી શક્ય બન્યો છે, જેમણે આ કાર્યક્રમ માટે પોતાની જમીન આપી છે.
 
દિલ્હીના અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી વિશાળ પ્રતિકૃતિમાં વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર