અશોક ચૌધરી GCMMFના ચેરમેન બન્યા

મંગળવાર, 22 જુલાઈ 2025 (13:49 IST)
અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની મંગળવારે ચૂંટણી યોજાઈ જેમાં અશોકભાઈ ચૌધરી GCMMFના ચૅરમૅન તરીકે અને ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચૅરમૅન તરીકે ચૂંટાયા છે.
 
અમૂલ એ સહકારી ક્ષેત્રે વિશ્વસ્તરે વિખ્યાત છે. ફેડરેશનના વર્તમાન ચૅરમૅન શામળભાઈ પટેલ અને વાઇસ ચૅરમૅન વાલમજીભાઈ હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેથી મંગળવારે GCMMFના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅનની ચૂંટણી યોજાઈ હતી.
 
અશોક ચૌધરી એ મહેસાણાની દૂધસાગર ડેરીના ચૅરમૅન છે જ્યારે ગોરધનભાઈ ધામેલિયા રાજકોટની ગોપાલ ડેરીના ચૅરમૅન છે. તેમની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર