Buddha Purnima 2021: આજે વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

બુધવાર, 26 મે 2021 (12:17 IST)
આજે છે બુદ્ધ પૂર્ણિમા. પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે સવારે નદીઓ અને પવિત્ર સરોવરોમાં સ્નાન પછી દાન-પુણ્ય જરૂર કરો. આજના દિવસે દાન કરવુ  ખૂબ જ લાભકારી હોય છે.  શાસ્ત્રોમાં વૈશાખ પૂર્ણિમાનુ ખૂબ જ મહત્વપૂર્ણ બતાવી છે. ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે ભગવાન બુદ્ધ, ભગવાન વિષ્ણુ અને ભગવાન ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે. જાણો. શુભ મુહુર્ત, પૂજા વિધિ  અને મહત્વ 
 
બુદ્ધ પૂર્ણીમાનુ શુભ મુહુર્ત 
 
બુદ્ધ પૂર્ણિમા અથવા વૈશાખ પૂર્ણિમા તારીખ - 26 મે 2021
પૂર્ણિમા તિથિ શરૂ  - 25 મે 2021 રાત્રે 8: 29 વાગ્યે
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 26 મે 2021 ના ​​સાંજે 4.43 વાગ્યે
 
વૈશાખ અને બુદ્ધ  પૂર્ણિમાનુ મહત્વ 
 
વૈશાખ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા ઘાટ પર સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિની સાથે જીવનમાં સુખ-શાંતિ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે.  હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લોકો  આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કારણ કે આ તહેવાર ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મીઠું દાન કરવાથી ગૌદાન દાન કરવા જેટલું ફળ મળે છે. આ સિવાય જો તમે અજાણતાં કોઈ પાપ કર્યું હોય તો આ દિવસે ખાંડ અને તલનું દાન કરવાથી આ પાપથી મુક્તિ મળે છે.
 
આ દિવસે પૂજા કેવી રીતે કરવી 
 
 આ દિવસે પૂજા કરવા માટે પહેલા ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘી ભરેલું વાસણ મૂકો. આ સાથે તલ અને ખાંડ પણ મૂકો.. ત્યારબાદ તલના તેલથી દીવો પ્રગટાવો અને ભગવાનની પૂજા કરો. આ દિવસે બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓને કલરફુલ ધ્વજ અને હારથી સજાવાય છે. ઉપરાંત, તેની જડમાં દૂધ અને સુગંધિત પાણી ચઢાવાય છે. તેમજ દીવો  પ્રગટાવવામાં આવે છે.
 
વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર સવારે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે. 
 
બુદ્ધ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત 
 
પૂર્ણિમા તિથિની શરૂઆત - 18 મે 2019ના રોજ સવારે 4 વાગીને 10 મિનિટથી 
પૂર્ણિમા તિથિ સમાત્પ - 19 મે 2019ના રોજ સવારે 2 વાગીને 41 મિનિટ સુધી 
 
એવી માન્યતા છે કે આજના દિવસે તલ અને ખાંડનુ દાન કરવામાં આવે છે અને પિંજરામાં બંધ પક્ષીઓને આઝાદ કરવામાં આવે છે. સ્નાન પછી વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાંડ અને તલનુ દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો પણ નાશ થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર