મધ્યપ્રદેશના સીહોરમાં સગાઈ તૂટવાથી હોબાળો, લોહીયાણ અથડામણમાં બે લોકોની મોત 15 ઘાયલ

ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:19 IST)
મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં સિદ્ધિકગંજ થાનાના એક ગામડામાં બંજારા સમાજના બે ગ્રુપના વચ્ચે સગાઈ તૂટવાને લઈને થઈ અથડામણમાં બુધવારે  બે લોકોની મોત થઈ ગઈ. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા જેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
સિદ્ધિકગંજના થાના પ્રભારી કમલ સિંહએ જણાવ્યુ કે ગંગારામની સામરી ગામના સરપંચ કિશન લાલએ તેમના દીકરાની પાસે જ પીપળની સામરી ગામડાના લક્ષ્મણ સિંહ બંજારાની દીકરીથી સગાઈ કરી હતી. પણ આશરે ચાર મહીના પહેલા તૂટી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્મણ સિંહએ તેમની દીકરીનો લગ્ન કોઈ બીજા છોકરાથી નક્કી કરી દીધું. તેણે કહ્યુ કે, તે પર કિશન લાલ મોટી સંખ્યામાં લોકોને લઈને બુધવારે પીપળની સામરી ગામમાં આ છોકરીન ઘરે પહોંચ્યો અને ધમકી આપવા લાગ્યુ કે છોકરીને ઉઠાવીને લઈ જશે. આ પર બન્ને પક્ષના વચ્ચે લોહીયાળ અથડામણ થઈ ગઈ. આ લોહીયાળ અથડામણમાં તલવાર, લાઠી, ફરસા અને ગોળી ચાલી છે. જેમાં એક પક્ષના બે લોકોની મોત થઈ ગઈ અને બને પક્ષના આશરે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર