બહરાઈચઃ બરાવફાતના જુલુસ દરમિયાન વીજ કરંટ લાગવાથી પાંચ લોકોના મોત થયા

રવિવાર, 9 ઑક્ટોબર 2022 (15:18 IST)
ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich) જિલ્લાના નાનપારા વિસ્તારમાં રવિવારે સવારે જુલુસ-એ-મોહમ્મદી દરમિયાન ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકો બળી ગયા હતા. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અશોક કુમારે જણાવ્યું કે, રવિવારે સવારે નાનપારા કોતવાલીના મૈકુપુરવા ગ્રામસભાના ભગગડવા ગામમાં ગામલોકો તેમના બાળકો સાથે બરાફતના સરઘસમાં ભાગ લઈ રહ્યા હતા.
 
તેમણે કહ્યું કે સવારે લગભગ ચાર વાગ્યે સરઘસમાં સામેલ કેટલાક લોકોને વીજળીનો કરંટ લાગ્યો, જેના કારણે ત્રણ બાળકો સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર