પશ્ચિમ બંગાળમાં ટીએમસીને પ્રચંડ બહુમત પણ નંદીગ્રામમાં ખુદ પોતાની સીટ ન બચાવી શકી મમતા

રવિવાર, 2 મે 2021 (19:10 IST)
પશ્ચિમ બંગાળમાં ટીએમસી વલણોમાં 200થી ઉપર સીટો પર જીતતી દેખાય રહી છે. પણ આ પ્રચંડ બહુમત પછી પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ પોતાની સીટ નહી બચાવી શકી. નંદીગ્રામમાં સુવેંદ્રુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીએ પણ નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જો કે તેમણે કહ્યુ કે બીજેપી બંગાલમાં  હાર ગઈ, નંદીગ્રામના પરિણામની કોઈ ચિંતા નથી. 
 
મમતા બેનર્જી સાંજે જયારે મીડિયા સાથે રૂબરુ થઈ ત્યારે તેમણે નંદીગ્રામમાં પોતાની હારની વાત  સ્વીકાર કરી પણ ટીએમસી ત્યા રીકાઉંટિંગની માંગ કરી રહેલી છે.  ક્યારેક મમતાએ ખૂબ નિકટના રહેલા સુવેંદુ અધિકારીના બીજેપીનુ દામન થામ્યા પછી મમતા બેનર્જીએ તેમને તેમની સીટ નંદીગ્રામ પર પડકાર આપવાનો નિર્ણય કર્યો હતો. તે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો. બંને નેતાઓમાં ખૂબ જ કાંટાની લડાઈ થઈ પણ છેવટે બાજી સુવેંદુના હાથ લાગી. 
 
જો કે નંદીગ્રામના પરિણામોને લઈને ત્યારે ગફલત થઈ ગઈ જ્યારે ન્યુઝ એજંસી એએનઆઈએ મમતા બેનર્જીને 1200 વોટોથી જીતવાની વાત કરી હતી. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર