Signs Of Pigeon: શુ કબૂતર તમારા ઘર પર આવીને કરે છે ગુટર ગૂં? જાણી લો તેનો મતલબ, આપી રહ્યા છે ભવિષ્યના મોટા સંકેત

મંગળવાર, 11 એપ્રિલ 2023 (09:57 IST)
Signs of Pigeon- માન્યતાઓ મુજબ ઘરમાં કબૂતરનો (Signs of Pigeon) માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે અને પરિવારના સભ્યોએ એક-એક પૈસા માટે તલપાપડ રહેવું પડે છે.
 
કબૂતરનુ ઘર પર ગુટર ગૂં કરવો 
ધાર્મિક વિદ્વાનો અનુસાર, જો કબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક-ક્યારેક ઘરમાં ગુટર ગૂં કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્વારા માતા લક્ષ્મી ઘરમાં આગમનનો સંકેત મોકલે છે. વહેલી સવારે કબૂતરના ઘરે આવવું એ ધનની નિશાની છે.
 
કબૂતરને ખવડાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ ખાતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા આંગણામાં ખોરાક અને પાણી રાખો. આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર